સામાન્ય તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગૃહમંત્રી અમિત શાહને AIIMSમાં દાખલ કરાયા, હાલમાં જ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

india

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સની એક ટીમ તેમનું ઓબ્ઝર્વેશન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને ફરી થોડો તાવ આવવા અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ગઈ કાલે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ડો. રણદીપ ગુલેરિયાની ટીમ તેમની સારવાર કરી રહી છે.

ચાર દિવસ પહેલાં જ જીતી છે કોરોના સામે જંગ
14 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાની માહિતી જાતે જ ટ્વિટર પર આપી હતી. ત્યારપછી તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને હોમ આઈસોલેશન રહેવાની સલાહ આપવામાં આવી હતી. ગઈ કાલે રાતે તેમને સામાન્ય તાવ આવ્યો હતો અને ત્યારપછી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *