કોરોના દેશમાં:મહારાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ જ ખરાબ, 24 કલાકમાં લગભગ 26000 કેસ નોંધાયા, આ એક જ દિવસમાં નવા કેસ મળવાનો સૌથી મોટો આંક

india
  • મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રથી આવતી-જતી પેસેન્જર બસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. ગુરુવારે અહીં 25,833 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના મહામારીની શરૂઆત પછીનો અત્યાર સુધીનો આ સૌથી મોટો આંક છે. એક જ દિવસમાં આટલા દર્દી કોઈપણ રાજ્યમાં મળ્યા નથી. અગાઉ, 11 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં 24,886 કોરોનાના દર્દીઓ મળી આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોનાના 39,643 કેસ નોંધાયા, 20,338 દર્દીઓ સાજા થયા અને 155 લોકોએ જીવ ગુમાવ્યો. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં એટલે કે દર્દીઓની સારવાર ચાળું છે તેવા દર્દીઓની સંખ્યામાં 19,141 નો વધારો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 15 લાખ 17 હજાર 945 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 1 કરોડ 10 લાખ 81 હજાર 508 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 59 હજાર405 લોકોનાં મૃત્યુ પણ થયાં છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યું છે.

અપડેટ્સ

  • આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના સ્ટ્રેનના 400 કેસ નોંધાયા છે. તેમાંથી 158 છેલ્લા 2 અઠવાડિયામાં સામે આવ્યા છે.
  • 20 માર્ચથી મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રથી આવતી-જતી પેસેન્જર બસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, ખાનગી વાહનોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કોરોનાની સમીક્ષા બેઠકમાં આ બાબતે જાણકારી આપી હતી.
  • ગુજરાતમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 19 માર્ચથી શહેરમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આ ઉપરાંત શહેરમાં શનિવાર અને રવિવારે મોલ, સિનેમા હોલ જેવા જાહેરસ્થળો બંધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
  • ઉત્તરપ્રદેશના જાલૌનમાં ગુરુવારે 109 વર્ષીય રામ દુલ્હૈયાને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. તે દેશની સૌથી વૃદ્ધ મહિલા છે જેમને વેક્સિન આપવામાં આવી છે. અ પહેલા બેંગલુરુમાં 103 વર્ષીય જે. કમલેશ્વરીને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
  • પંજાબના 9 જિલ્લામાં નાઇટ કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. અગાઉ તે રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે તેને વધારીને રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યો છે. આ જિલ્લાઓમાં લુધિયાણા, જાલંધર, પટિયાલા, મોહાલી, અમૃતસર, ગુરદાસપુર, હોશિયારપુર, કપૂરથલા અને રોપરનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં દરરોજ 100 થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

6 રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર
અહીં ગુરુવારે 25,833 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 12,174 દર્દીઓ સાજા થયા હતા અને 58 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 23.96 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. જેમાં 21.75 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 53,138 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં, 1.66 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. કેરળ
અહીં ગુરુવારે કોરોનાના 1,899 કેસ નોંધાયા હતા અને 2,119 દર્દીઓ સ્વસ્થ થયા હતા અને 15 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10.98 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 10.68 લાખ લોકો સાજા થયા છે, જ્યારે સંક્રમિત 4,451 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 25,159 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. મધ્યપ્રદેશ
ગુરુવારે મધ્યપ્રદેશમાં કોરોનાના 917 કેસ નોંધાયા હતા અને 500 દર્દીઓ સાજા થયા હતા અને એકનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.71 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 2.62 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 3,894 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. 6,032ની સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત
અહીં ગુરુવારે 1,276 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 899 દર્દીઓ સાજા થયા હતા અને 3 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.82 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.72 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે.જ્યારે 4,433 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 5,684 ની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
અહીં ગુરુવારે કોરોનાના 327 કેસ નોંધાયા હતા, અને 152 દર્દીઓ સાજા થયા હતા અને 3 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.24 લાખ લોકો સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 3.18 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,794 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 3,023ની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી
​​​​​​​ગુરુવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 607 કેસ નોંધાયા હતા, અને 384 દર્દીઓ સાજા થયા હતા અને એકનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 6.45 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 6.31 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,949 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 2,924ની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *