ગાંધીનગર સચિવાલયમાં PIએ કરી આત્મહત્યા, પાર્કિંગમાં જ કર્યો આપઘાત

Gandhinagar Gujarat

ગાંધીનગરમાં સચિવાલયમાં સલામતી શાખાના PIએ આત્મહત્યા કરી છે. સચિવાલયમાં સલામતી શાખાના PIનો આપઘાત. ઘરે નહીં પહોંચતા પરિવારે પોલીસને કરી હતી જાણ. PI પીજે પટેલે સચિવાલયના પાર્કિંગમાં ગાડીમાં જ આપઘાત કર્યો. મોડી રાત સુધી પીજે પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

સલામતી શાખા, ગાંધીનગરના પોલીસ ઈન્સ્પેક્ટર પીજે પટેલે ચિવાલયના આવેલા પાર્કિંગમાં પાર્ક કરાયેલી ગાડીમાં જ આપઘાત કર્યો છે. ત્યારે પોલીસે તપાસ કરતા ગાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પીજે પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી. પરંતુ તેમની આત્મહત્યાથી પોલીસ બેડામા ચર્ચા શરૂ થઈ છે.

ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખામાં પી આઈ ફરજ બજાવતા પ્રિતેશ પટેલ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. તેઓએ પોતાની ગાડીમાં સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમની પાસેથી કોઈ જ પ્રકારની સ્યૂસાઈડ નોટ મળી નથી.

આત્મહત્યાનું કારણ જાણી શકાયુ નથી
મૂળ બાયડના વતની પીજે પટેલ ગાંધીનગરના સરગાસણમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી તથા પત્ની છે. શા કારણે PI પીજે પટેલે આત્મહત્યા કરી હતી તે અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *