વિરમગામ અમદાવાદ હાઈવે પર કંડલા પોર્ટ થી કાચુ સોયાબીન તેલ ભરી ઇન્દોર જતી ટેન્કર આસોપાલવ સર્કલ થી આગળ સોકલી ગુરુકુળ પાસે પહોંચતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રોડની સાઈડમાં ખાડમાં ટેન્કર પલટી જતા સોયાબીન તેલ ના ખાબોચીયા ભરાયા હતા જેને સ્થાનિક લોકો દ્વારા વિવિધ સાધનોમાં ભરી લઈ જવાયું હતું .

ટેન્કર કંડલાથી ઇન્દોર લઇ જવાતું હતું
ટેન્કર ચાલક આસીક નુરખાન કાયમખાની (ઉ.વ.40,ધંધો-ડ્રાયવીંગ,રહે-શાહપુરા,તા-શાહપુરા, જી.ભીલવારા(રાજસ્થાન), અંકિત એન્ડ સન્સ ટ્રાન્સપોર્ટ ભીલવાડાનુ ટેન્કર ચલાવે છે. તા.9/10/2021 ના રાત્રીના 9 વાગ્યાના અરસામાં ડ્રાઇવર આશિક નુંરખાન સાથે કંડકટર નફીસ મહમ્મદ દેશવાલી ટેન્કરમાં કંડલા પોર્ટ (કચ્છ-ભુજ) થી ઈમ્પીરીયસ ઈન્ફ્રાલોજીસ્ટીક પ્રા.લી.કંડલા ખાતેથી સોયાબિનનું કાંચુ તેલ 37.9 ટન ભરીને ઇન્દોર(મધ્યપ્રદેશ) ખાતે જવા માટે નિકળ્યો હતો. અને 10 ઓક્ટોબરના રોજ કરો સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં વિરમગામ હાંસલપુર સર્કલથી અમદાવાદ તરફ ગુરુકુળ આગળ સામેથી આવતી કારને બચાવવા જતા ટેન્કરના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની ખાલી સાઇડમાં પલટી ખાઇ ગયું હતું. જે બાબતે વિરમગામ રુરલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે.