નિયમમાં ફેરફાર: ગુજરાતમાં ફરી એકવાર હેલ્મેટનો કાયદો બદલાશે, ખાસ માર્કનાં જ હેલ્મેટ માન્ય ગણાશે, કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ

Gujarat
  • જૂન મહિનાથી વાહનચાલકોએ ફરી એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવો પડશે

ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે, જે અનુસાર આગામી જૂન મહિનાથી જેવું તેવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં, કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ પહેરવાનો આદેશ કર્યો છે. એ જોતાં વાહનચાલકોએ ફરી એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવો પડશે.

હેલ્મેટનો નવો નિયમ તારીખ 01-06-2021થી લાગુ થશે
રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 01-06-2021 અમલી બનશે. આ માટે વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરના પોલીસ કમિશનરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના .0. એસઓ 4252 તા.. 26-11-2020ની નકલ મોકલી આપવામાં આવી છે, જે મુજબ આ હુકમથી ટૂ-વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક આઈએસ 4151: 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ 01-06-2021થી કરાવવાનો રહેશે. આ તારીખથી આઇએસ 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય.

માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ તૈયાર કર્યા
સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે દેશમાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને હવે બાઈક ચલાવવાના નિયમમાં તાજેતરમાં મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે. સરકારે બાઈક રાઈડર્સને માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ તૈયાર કર્યા છે. આ અંગે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેએ એક ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. બાઈકચાલકની સાથોસાથ પાછળ બેસનારી કેટલીક વ્યકિત માટે પણ નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાના પગલાને ધ્યાને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો એનું પાલન નહીં થાય તો ચલણ કપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *