મણિપુરમાં સેના પર હુમલામાં 3 જવાન શહીદ,6ની હાલત ગંભીર; જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

india

મણિપુર. મણિપુરમાં સેનાના જવાનો પર હુમલો કરાયો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે 6 જવાન ઘાયલ થઈ ગયા છે.

ઘટના બુધવારે રાતે લગભગ સવા એક વાગ્યે રાજધાની ઈમ્ફાલની પાસે આશરે 95 કિમી દૂર ચંદેલ જિલ્લામાં બની છે. આ પહાડી વિસ્તાર છે.

ભારત-મ્યાંમાર સરહદ પર ઉગ્રવાદી સમૂહ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન 4 આસામ રાઈફલ્સના ત્રણ જવાન શહીદ થયા છે.

જવાનો પર ઉગ્રવાદીઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 6 જવાન ઘાયલ થઈ ગયા છે, જેમને ઈમ્ફાલ પશ્વિમ જિલ્લાના મિલેટ્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *